• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


24/4/15

SYLLABUS DETAILS OF HTAT EXAM IN PRIMARY SCHOOL

-: HTAT primary exam detail :-

રાજ્ય ની પ્રાથમિક શાળા માં આચાર્ય ની ભરતી માટે HTATપરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે..શિક્ષણકાર્ય ને વધુ સારી રીતે ન્યાય આપી શકાય એ હેતુથી Headteachers Aptitude Test દ્વારા પ્રાથમિક વિભાગ ના આચાર્ય ની પસંદગી કરવાની સરકાર ની જોગવાઈ આવાકાર્દાયક અને પ્રશંશનીય પગલું છે .

જેનું માળખું નીચે મુજબ છે..

પરીક્ષાની તેયારી માટે માળખા પ્રમાણે તૈયારી કરી શકાય.
આ પરીક્ષા બે વિભાગ માં લેવાશે, જેમાં તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે.
વિભાગ ૧
૭૫ ગુણ
વિભાગ ૨
૭૫ ગુણ
કુલ ગુણ ૧૫૦
સમય ૧૨૦ મિનીટ
વિભાગ ૧ (ત્રણ પેટા વિભાગ છે..)
(1) સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નો

- ભારતીય બંધારણ, મૂળભૂત હક્કો અને ફરજો

- રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું
- ગણિત, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ
- ખેલકૂદ અને રમતો
- સંગીત અને કળા
- રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ૨૦૦૫ (આર ટી આઈ)
- ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ (આર ટી આઈ)
- મહાન વિભૂતિઓ (દેશ) વર્તમાન પ્રવાહ, અને આનુસંગિક બાબતો

(2) વહીવટી સંચાલન :

- ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગનું માળખું અને તેની કચેરીઓનું કાર્ય તેમજ આંતર સંબંધો.
- ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭
- ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો ૧૯૪૯
- ગુજરાત શૈક્ષણિક સંસ્થા (નિયમન) અધિનિયમ ૧૯૮૪
- ગુજરાત શૈક્ષણિક સંસ્થા (પૂર્વ પ્રાથમિક, અને પ્રાથમિક શીક્ષંક તાલીમ કોલેજ) નિયમો ૧૯૮૪
- નેશનલ કોઉંનશીલ ફોર ટીચર એજ્યુકેશન એક્ટ ૧૯૯૩
- શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ , શિક્ષણમાં નુતન પ્રવાહો, શિક્ષણ સુધારણા , અને પહેલ (રાજ્ય અને દેશ કક્ષાએ)
- રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્ચા ૨૦૦૫
- અન્ય પ્રાથમિક શિક્ષણ પીટીસી અને બીએડ ના અભ્યાસક્રમ મુજબ

(3) મેથડો લોજી અને એજ્યુકેશન સાયકોલોજી

- રીઝનીંગ એબીલીટી અને લોજીકલ રીઝનીંગ , ડેટા ઇન્ટર પ્રિતેશન સાથે

વિભાગ – ૨
આ વિભાગ માં પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવશે. પરંતુ તેના કઠિનતા મુલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ ૯ અને ૧૦) પ્રમાણે રહેશે. પરંતુ દરેક વિષયનું ગુણ ભારાંક સમાન રહે તે જરૂરી નથી.
(આ કસોટી માં બંને વિભાગ માં જુદા જુદા ઓછા માં ઓછા ૫૦ ટકા ગુણ અને બંને મળી ઓછા માં ઓછા ૬૦ ટકા મેળવેલ હશે. તો જ પાસ ગણાશે. અનામત ઉમદેવાર માટે ૫૫ ટકા ગુણ મેળવીને ઉર્તીણ થવાનું રહેશે.)